<div id="MiddleColumn_internal" style="text-align: justify; "> <ul> <li> ખૂબ પાણી પીવો. બોટલના પાણીથી દૂર રહો કારણ કે તેઓનો નિકાલ કરવો પડે છે અને તેઓ કુદરતી સંપત્તિઓનો જથ્થો ઘટાડે છે. </li> </ul> <ul> <li>કેફીનગ્રસ્ત પીણાઓથી દૂર રહો. કુદરતી ઠંડું પીણું જેવા કે છાશ પીવો.</li> <li>હલકા-રંગના કપડા પહેરો, ખાસ કરીને સુતરાઉ કપડાં.</li> <li>નિર્જલીકરણથી બચવા પુષ્કળ પ્રવાહી પીવો. અમુક કુદરતી પ્રવાહીઓ જેવા કે, લીંબુનું પાણી, અપરિપક્વ નાળિયેર, ફળોનો રસ ઈત્યાદિ. અપરિપક્વ નાળિયેરના પાણીમાં સાકર, રેસા, વિટામીન અને ખનિજો સાથે પ્રોટીન પણ હોય છે.</li> <li>પુષ્કળ સલાડ ખાઓ અને તાજા ફળો જેમાં કુદરતી રીતે પાણી હોય જેમ કે, તરબૂચ. હકીકતમાં આ ફળમાં અંદાજે 92% પાણી અને 14% સુધી વિટામીન સી છે. આ પરસેવા મારફતે ગુમાવેલી ભીનાશને પાછી મેળવવામાં મદદ કરે છે. આ ફળમાં અમુક પ્રમાણમાં વિટામીન બી અને પોટેશીયમ પણ જોવા મળે છે.</li> <li>માટીના કુંડાઓ સંગ્રહ કરેલું પાણી પીવો.</li> <li>તેલવાળા પદાર્થો ખાવાથી બચો અને ખાસ કરીને વિક્રેતાઓ દ્વારા કાપેલા ફળોને ખાવાથી દૂર રહો કારણકે તે માખીઓ અને ધૂળના સંપર્કમાં આવી શકે છે.</li> <li>હાથથી વપરાય તેવા પંખાઓનો ઉપયોગ કરો. જ્યારે વિજળી ન હોય ત્યારે પણ તે કામ કરે છે.</li> <li>વેટીવેરીઆની બનેલી ભીની ચાદરો ખુલ્લી બારીઓ પર લટકાડો. આ ઘરમાં તાજી હવાને ફેલાવવામાં મદદ કરે છે.</li> </ul> </div>