કોઇ ગામને વીજ પુરવઠો ધરાવતું ગામ ક્યારે કહી શકાય ઓક્ટોબર 1997 સુધી જ્યારે ગામના મુખ્ય વિસ્તારો પછી ભલે તે કોઇપણ હેતુસર ઉપયોગ કરવામાં આવ્યા હોય તેમાં વીજળીનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવા ગામને વીજ પૂરવઠો ધરાવતું ગામ ત્યારે કહી શકાય. ઓક્ટોબર 1997 પછી ગામના મુખ્ય વિસ્તારોની હદ રેખાના, ગામના રહેણાંક વિસ્તારોમાં કોઇપણ હેતુસર વીજળીનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવા ગામને વીજ પૂરવઠો ધરાવતું ગામ કહી શકાય છે. 2004-05ના વર્ષથી ગામના વીજ પૂરવઠા અંગેની નવી વ્યાખ્યા જાહેર કરવામાં આવી (એમઓપી દ્વારા, તા. 5મી ફેબ્રુઆરી, 2004ના દિવસે તેના પત્ર નંબર 42/1/2001-ડી(આરઇ) સાથે જાહેર કર્યા અનુસાર અને તા. 17મી ફેબ્રુઆરી, 2004ના દિવસે તેના પત્ર નંબર 42/1/2001-ડી(આરઇ)ના જાહેર કરવામાં આવેલા શુદ્ધિપત્ર દ્વારા જાહેર) નવી વ્યાખ્યા અનુસાર, ગામમાં વીજ જોડાણ છે તેવું ત્યારે જ જાહેર કરવામાં આવે છે જો નીચેની શરતો પૂરી થતી હોય : વિતરણ ટ્રાન્સફોર્મર અને વિતરણ લાઇન જેવી પાયાની માળખાકિય સુવિધા ગામના નાનામાં નાના વિસ્તારો જેવા કે દલિત બસ્તી ઉપરાંત જ્યાં ઓછા લોકો રહેતા હોય તેવા વિસ્તારોમાં પૂરા પાડવામાં આવે. જાહેર સ્થળો જેવા કે, શાળા, પંચાયત ઓફિસ, સ્વાસ્થ્ય કેન્દ્ર, દવાખાના, સામૂહિક કેન્દ્ર વગેરે જેવા જાહેર સ્થળોએ વીજળી પૂરી પાડવામાં આવે. ગામના કુલ ઘરોની સંખ્યાએ ઓછામાં ઓછા 10 ટકા જેટલા ઘરોમાં વીજ જોડાણ આપવામાં આવ્યું હોય ત્યારે સ્ત્રોત : રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના